Friday, July 26, 2013

Fwd: Quotes



દરેક સંબંધનું એક સત્ય હોય છે. દરેક વર્તનનું એક સત્ય હોય છે.

બે વ્યક્તિનાં સત્ય જ્યારે એક થાય ત્યારે જ સાત્ત્વિક પ્રેમનું નિર્માણ થતું હોય છે.

પ્રેમ એટલે એકબીજાંમાં ઓગળવાની આવડત.

 

દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો પણ જીતી નહીં શકો.

 

સુખી થવા અને સુખી કરવા સાથેની વ્યક્તિનું સત્ય સ્વીકારવું અને સમજવું પડે છે.

તમારી વ્યક્તિને તમારી પાસેથી શું જોઈએ છે એની તમને ખબર છે?

કે પછી તમારે તેને શું આપવું છે એની જ ખબર છે?

તમારી તમન્ના ગમે તેટલી ઊંચી અને મહાન હશે પણ જો એ તમારી વ્યક્તિને સુખ આપી ન શકતી હોય તો એ એના માટે ક્યારેય ઊંચી કે મહાન બની શકવાની નથી.

 

સંબંધ, દોસ્તી અને પ્રેમ એની સાથે જ રાખો જે હાસ્ય પાછળની વેદના, ગુસ્સા પાછળનો પ્રેમ અને મૌન પાછળનાં કારણો સમજી શકે.

 

તમે કોણ છોએ જાણવા માગતા હો તો આત્મિચંતન કરી ને  જુવો કે તમારા વિચારો કેવા છે?

જે પ્રકારના  ઈચ્છા અને  આકાક્ષાઓ તમારા મનમા જાગતી રહે છે એવા જ તમે છો.

 

સત્ય માર્ગ દ્વારા  ઉન્નતી કરવી જોઇએ પરમેશ્વર  બધાજ કાર્યો ને બરાબર જાણે છે  તેથી કોઇ પણ વ્યક્તિ  પાપ કરીને  તેનાથી બચી શકતી નથી.

 

જેનું હૃદય સુંદર છે તેજ સુંદર છે.

 

 

 

 

 

 

 

 

 


No comments: