વાણી અને પાણી સંભાળીને વા૫રવાં જોઇએ.શબ્દો વૃદ્ધિ ૫ણ કરે અને વિનાશ ૫ણ કરે.શબ્દો જ મારે અને શબ્દો જ તારે છે.શબ્દો ઉ૫રનો સંયમ ઉત્તમ તપ અને ઉપાસના છે.
વાણી ઐસી બોલીએ મનકા આપા ખોઇ,
ઔરન કો શિતલ કરે આપકી શિતલ હોઇ..!
શબ્દ સંભાળી બોલીયે,
શબ્દકે હાથ ન પાંવ,
એક શબ્દ ઔષધિ કરે એક શબ્દ કરે ઘાવ..!
માણસ જ્યારે રૂપિયાની નોટો ગણતો હોય છે ત્યારે કોઇ જગ્યાએ ધ્યાન આપતો નથી ૫ણ જ્યારે સત્સંગ ભજનમાં બેઠો હોય છે ત્યારે બધે જ ધ્યાન આપે છે.
ઇશ્વર એકવારની ભૂલ માફ કરી શકે,પરંતુ એકની એક ભૂલ ફરી માફ ન કરી શકે.
એકની એક ભૂલ વારંવાર કરવી તે બેદરકારી છે.ઇશ્વર પાસે આપણે ભૂલો સુધારવા ભેજું અને તે સ્વીકારવા કલેજું માંગીએ..
No comments:
Post a Comment
Please be positive